Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

મોરબી જીલ્લામાં તા. ૦૨ ઓક્ટોબરથી કાનૂની જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાશે.

મોરબી : ભારત સરકાર દ્વારા ચાલતા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ NALSA તરફથી મળેલ સુચના મુજબ સમગ્ર દેશમાં પાન ઇન્ડિયા અવેરનેસ પ્રોગ્રામનું આયોજન તા. ૦૨-૧૦ થી ૧૪-૧૧ દરમિયાન કરાયું છે
જે અંતર્ગત મોરબી જીલ્લામાં જીલ્લા કક્ષાએ ઉજવણીનું આયોજન કરાયું છે જેમાં કેમ્પેઈનની શરૂઆત તા. ૦૨-૧૦ થી કરાશે જેમાં મોરબી જીલ્લાના તમામ ગામડાઓમાં પેનલ એડવોકેટ અને પેરા લીગલ વોલેન્ટરીયસ દ્વારા કાનૂની જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાશે આયોજનના અમલીકરણ માટે તથા સુચારૂ સંકલન માટે કલેકટરના અધ્યક્ષસ્થાને મીટીંગ મળી હતી જેમાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ આર કે પંડ્યા અને પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ વાય એન પટેલ ઉપસ્થિત રહ્યા હતા

(11:23 am IST)