Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

મોરબી નજીક પદયાત્રીના મોત મામલે ક્રેન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો.

મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક બુધવારે ક્રેનની અડફેટે આવી જતા માતાના મઢ જતા પદયાત્રીનું મોત થયું હોય જે અકસ્માતના બનાવ મામલે ક્રેન ચાલક વિરુધ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના બોરિયાપાટી વાદીમિયા રહેતા મહેશભાઈ અવચરભાઈ પરમાર પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ક્રેન વાહનના ચાલકે લક્ષ્મીનગર ગામના પાટિયા નજીક ફરિયાદીના પિતા અવચરભાઈ બેચરભાઈ પરમારને પાછળથી અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ગંભીર ઈજા થતા ફરિયાદીના પિતા અવચરભાઈ પરમારનું મોત થયું હતું અને ક્રેન ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ક્રેનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:29 am IST)