Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

આજથી પશ્ચિમ રેલ્વેનું નવુ ટાઇમ ટેબલઃ રાજકોટ ડીવીઝનમાં કોઇ મોટો ફેરફાર નથી

જબલપુર-સોમનાથ બપોરે ૧.૩રના બદલે ૧.૪૦ વાગ્યે ઉપડશે

રાજકોટ, તા., ૧: મુસાફરોની સુવિધા અને ટ્રેનોના સુચારૂ પરિચાલન માટે આજે  તા.૧ લી ઓકટોબરથી પશ્ચિમ રેલ્વેની કેટલીક  ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો કે રાજકોટ ડીવીઝનની ટ્રેનોના સમયપત્રકમાં કોઇ મોટો ફેરફાર નથી. સિનીયર ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યા મુજબ ટ્રેન નં. ૦૧૪૬૪/૦૧૪૬૬ જબલપુર-સોમનાથ સ્પેશ્યલ ભકિતનગર સ્ટેશનથી બપોરે ૧.૩ર ના બદલે ૧.૪૦ના ઉપડશે. મુસાફરોને જણાવવામાં આવે છે કે તેઓ પોતાની મુસાફરી પ્રારંભ કરતા પહેલા નવા ફેરફારો અને અપડેટસ જોઇ લે. 

(1:15 pm IST)