Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું પોરબંદરમાં કરાયું સ્વાગત : કાલે કીર્તિ મંદિર ખાતે પ્રાર્થનાસભા સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

સાંસદ રામભાઇ મોકરીયાના કાર્યાલયનુ ઉદધાટન કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

પોરબંદર  :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવતી કાલે તા.૨ ઓકટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે કીર્તિ મંદિર ખાતે સવારે ૮ કલાકે યોજાનાર સર્વધર્મ પ્રાથના સભામાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમોમાં સહભાગી થવા  મુખ્યમંત્રી આજે સાંજે પોરબંદર પહોંચતા તેમનું પોરબંદર એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 મુખ્યમંત્રીનું પોરબંદર ખાતે સાંસદ રમેશભાઇ ધડુક, રાજ્ય સભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા, આઇ.જી મનીન્દર સિંઘ, કલેકટર અશોક શર્મા, એસ.પી.રવિકુમાર સૈનિ, જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી, નગરપાલિકાના પ્રમુખ સરજુભાઇ કારીયા તેમજ પંકજભાઇ મજેઠીયા, અશોકભાઇ ખીમજીભાઇ, નિલેશભાઇ, હકાભાઇ, સાગરભાઇ સહિતના અગ્રણીઓએ પણ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતુ.
 મુખ્યમંત્રીએ પોરબંદરમાં સાંસદ રામભાઇ મોકરીયાના કાર્યાલયનું ઉદઘાટન કર્યુ હતું. સાંસદએ મુખ્યમંત્રીનુ સ્મૃતિ ચિન્હ આપી સન્માન સ્વાગત કર્યુ હતુ. આ તકે મુખ્યમંત્રીની સાથે સાંસદઓ સહિતના મહાનુભાવોઓ પણ સહભાગી થયા હતા.  
તા. ૨જી ઓકટોબર સવારે ૮ કલાકે કીર્તિ મંદિર ખાતે યોજાનાર સર્વધર્મ પ્રાર્થના સભામાં  મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરશે. કીર્તિ મંદિર ખાતેથી “ક્લિન ઇન્ડીયા” કેમ્પેઇન અંતર્ગત લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ પોરબંદર-છાયા નગરપાલીકાના નવનિર્મિત ભવનનુ લોકાર્પણ કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી સાંદીપનિ પાસે નવનિર્મિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ભવનનુ લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી સાંદિપની આશ્રમની પણ મુલાકાત લેશે.  

(11:11 pm IST)