Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

હિમેશ રેશમિયા-કૈલાસ ખેર આજે રાત્રે મોરબીમાં રાસ-ગરબાની રમઝટ

(પપ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૧  :  મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્‍ડેશન દ્વારા શહીદ પરિવારોના લાભાર્થે આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્‍સવમાં દરરોજ નવું નવું નજરાણું જોવા મળે છે જે અંગે આયોજક અજય લોરીયાએ જણાવ્‍યું હતું કે  મોરબીમાં પ્રથમ વખત બૉલીવુડના જાણીતા ગાયક કલાકાર હીમેષ રેશમિયા તા. ૧ ઓક્‍ટોબરને શનિવારે આવશે અને પોતાના સુરીલા અવાજમાં લોકોને ગરબે રામાડશે. આ ઉપરાંત તા. ૨ ને રવિવારના રોજ જાણીતા કોમેડિયન ખજુરભાઈ પાટીદાર નવરાત્રીમાં આવી લોકોને મનોરંજન પુરૂ પડશે જયારે વધુ આઠમ ની મહાઆરતી પ્રમોદભાઈ વરમોરા(વરમોરા ગ્રુપ)  અને સાવજીભાઈ બારૈયા પરિવાર દ્વારા કરવામાં આવશે.

મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્‍સવનું દર વર્ષે જાજરમાન આયોજન કરવામાં આવી રહ્યું છે પરિવાર સાથે ગરબાની મોજ માણી સકાય તેવું ભવ્‍ય અને સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે જે ઉમિયા નવરાત્રી મહોત્‍સવમાં શનિવારે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર પધારશે જેઓ ગરબાની ધૂમ મચાવશે. તા. ૦૧ ઓક્‍ટોબરને શનિવારના રોજ શ્રી ઉમિયા નવરાત્રી મહોત્‍સવમાં ખેલૈયાઓને મોજ કરાવવા માટે દેશ અને વિદેશના જાણીતા સિંગર કૈલાશ ખેર પધારશે.

 ઉમિયા નવરાત્રી મહોત્‍સવના આયોજકોએ જણાવ્‍યું હતું કે શનિવારે જાણીતા સિંગર કૈલાશ ખેર પધારશે જે ખેલૈયાઓને આનંદ કરાવશે તે ઉપરાંત ઇન્‍ડિયન આઈડલ ફેમ દિવ્‍ય કુમાર પણ પધારશે તેમજ તા. ૦૨ ના રોજ કીર્તિ સાગઠીયા જમાવટ કરશે અને આગામી દિવસોમાં અન્‍ય પણ જાણીતા કલાકારો માટેની તૈયારી આયોજકો દ્વારા કરવામાં આવી રહી હોવાનું જણાવ્‍યું હતું.

(1:31 pm IST)