Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

દેવુ વધી જતા જુનાગઢનાં યુવાને ગળાફાંસો ખાધો

જુનાગઢ તા.૧ :  દેવુ વધી જતાં જુનાગઢનાં અમીતકુમાર ભુપતભાઇ પરમાર નામના યુવાને ગળાફાંસો ખાય લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

શહેરમાં કડીયાવાડ મહાકાળી મંદિર શેરીમાં રહેતા ૩૬ વર્ષીય અનિલભાઇને દેવુ વધી  ગયુ હતુ. આથી તેમણે ઘરની છતમાં ઇલેટ્રીક પંખા સાથે ચુંદડી વડે લટકી ગળેફાંસો ખાયને મોતને મીઠુ કરી લેતા પીએસઆઇ એન.વી.આંબલીયાએ આગળની તપાસ હાથ ધરી છે. 

(1:36 pm IST)