Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન જુનાગઢમાં

આમ આદમી પાર્ટીના બંને નેતાની જાહેરસભા

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૧: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન આજે જુનાગઢના મહેમાન બન્યા છે.

જુનાગઢ મહાનગરના પ્રમુખ ચેતન ગજેરાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના બંને બપોરના પ્રથમ વખત જુનાગઢ આવી રહયા છે. તેઓ બપોરના ત્રણ કલાકે ખલીલપુર રોડ સ્થિત રાધાનંદન પાર્ક ખાતે જાહેર સભાને સંબોધીત કરશે.

ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણી લઇને શ્રી કેજરીવાલ અને શ્રી ભગવંત માન પાર્ટીના કાર્યકરોને મળશે તેમજ ચુંટણીની તૈયારીઓ અંગે માર્ગદર્શન આપશે.

આ દરમિયાન અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં કેટલાક લોકો  આમ આદમી પાર્ટીમાં જોડાવવાની સંભાવના છે. કેજરીવાલ અને માનની સાથે પાર્ટીના પ્રદેશ નેતાઓ વગેરે પણ ઉપસ્થિત રહેશે.

(3:12 pm IST)