Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મોરબીમાં સ્વ. ઉમેદસિંહ ઝાલાના સ્મરણાર્થે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૧૦૫ લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ૐ સાંઈ શક્તિ ગ્રુપ તથા ગજકેસરી ફાઉન્ડેશન દ્વારા સ્વ. ઉમેદસિંહ માનુભા ઝાલાનાં સ્મરણાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે રક્તદાન કેપમાં ૧૦૫ જેટલા લોકોએ સ્વેછીક રક્તદાન કરી સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સામાકાંઠા વિસ્તારમાં સવારથી સાંજ સુધી ચાલેલા કેમ્પમાં સામાજિક અને રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી તો સ્વ. ઉમેદસિંહ ઝાલાના સ્મરણાર્થે આયોજિત કેમ્પમાં પરિવાર ઉપરાંત સમાજના યુવાનોએ રક્તદાન કરીને કેમ્પને સફળ બનાવ્યો હતો

(11:45 am IST)