Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

'જૂનાગઢ - દેલવાડા - જૂનાગઢ' મીટરગેજ ટ્રેન ત્વરિત શરૂ કરાશેઃ સાંસદ રાજેશ ચુડાસમાને ડીઆરએમ મનોજ ગોયલની ખાત્રી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા. ૧ : પશ્ચિમ રેલવે ભાવનગર વિભાગના ડીવીઝનલ રેલવે મેનેજર મનોજ ગોયેલએ જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમાને એક લેખિત પત્ર પાઠવી જણાવેલ છે કે, કોવિડ-૧૯ના કારણે બંધ કરેલ 'જૂનાગઢ - દેલવાડા - જૂનાગઢ' ટ્રેન નં. ૫૨૯૫૨/૫૨૯૫૧ને ચાલુ કરવા માટે રેલવે બોર્ડની મંજુરી માટે મુખ્ય કચેરીને પત્ર ક્રમાંક : ટી ૪૨૫/૩ તા. ૨૪-૧૧-૨૦૨૧ તથા તા. ૨૯-૧૧-૨૦૨૧થી મોકલેલ છે અને રેલવે બોર્ડની મંજુરીની સંપૂર્ણ અપેક્ષા છે. દરમિયાન ગાડી ચલાવવા માટે આંતરિક કાર્યવાહી રેલવે વિભાગ દ્વારા થઇ ચૂકી છે. જેથી રેલવે બોર્ડની મંજુરી મળવાની સાથે જ ગાડી નં. ૫૨૯૫૨/૫૨૯૫૧ 'જૂનાગઢ - દેલવાડા - જૂનાગઢ' તુરંત જ ચાલુ કરી દેવામાં આવશે તેમ સાંસદ ચુડાસમાને પાઠવેલ લેખિત પત્રમાં ડીઆરએમ ગોયેલએ જણાવ્યું છે.

(12:46 pm IST)