Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં ભાજપ દ્વારા હર ઘર દસ્તક કાર્યક્રમ અંતર્ગત ડોર ટુ ડોર સંપર્ક શરૂ કરાયો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ જિલ્લામાં હર ઘર દસ્તક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મારું ઘર રસીકરણ યુક્ત કોરોના મુક્ત છે, હર ઘર દસ્તક કાર્યક્રમ અંતર્ગત બારેજા વોર્ડ નંબર 3 માં અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી સહિતના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
  ‘મારું ઘર’ રસીકરણ યુક્ત, કોરોના મુક્ત’ હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત વિરમગામ ખાતે વોર્ડ નં: ૬ માં કાર્યકર્તા મિત્રો સાથે ‘ડોર ટુ ડોર’ સંપર્ક કરવામાં આવ્યો હતો તેમ અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપસિંહ ડોડીયા એ જણાવ્યું હતું

(7:06 pm IST)