Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

પૂર્વ પત્‍ની સાથેના લગ્નના મનદુઃખથી માણાવદરના યુવાન પર ટામી વડે હુમલો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૩૦ : પૂર્વ પત્‍ની સાથેના લગ્નના મનદુઃખથી માણાવદરના યુવાન પર બે મહિલા સહિત આઠ શખ્‍સોએ હુમલો કર્યો હોવાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

માણાવદરના વાદીવાસમાં રહેતા ૨૬ વર્ષીય દલસુખભાઇ નારણભાઇ દુદકીયા નામના યુવાને તેની બાજુમાં જ રહેતા અજય જેન્‍તી સોલંકીની પૂર્વ પત્‍ની સાથે ભાગી જઇને લગ્ન કરેલ.

આ બાબતનું મનદુઃખ રાખી ગઇ કાલે વર્ષાબેન મુકેશ સોલંકી, લાખીબેન જેન્‍તી સોલંકી, મુકેશ જેન્‍તીભાઇ સોલંકી, અજય જેન્‍તી, નરેશ જેન્‍તી, વિજય જેન્‍તી, જેન્‍તી પોપટ સોલંકી અને જીજ્ઞેશ નરેશ સોલંકીએ દલસુખને ગાળો કાઢી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો.તેમજ અજય જેન્‍તીએ લાકડી વડે અને જેન્‍તી પોપટે લોખંડની ટામી વડે હુમલો કરી દલસુખને પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસે હુમલાખોરો સામે રાયોટીંગનો ગુનો નોંધની કાર્યવાહી કરી હતી.

(12:53 pm IST)