Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

બે અલગ પરિપત્રોને કારણે રેલી ન થાય તેવા પ્રયાસોઃ સાવરકુંડલાના પ્રતાપભાઇ દુધાતના પ્રહારો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૩૦ : સાવરકુંડલા ખાતે કોંગી ધારાસભ્‍ય અને સાવરકુંડલા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાતે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજીને તા. ર૪ નવેમ્‍બરે બાઇક રેલી માટે માંગેલી પરમિશનમાં મતદાનના ૭ર કલાક અગાઉ પરવાનગી ન મળતો હોવાનો પરિપત્ર કોંગ્રેસી કાર્યકર્તાઓને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવ્‍યો હતો.

જેને કારણે ર૯ નવેમ્‍બરને બદલે ર૮ નવેમ્‍બરે સાવરકુંડલા કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કોંગ્રેસની બાઇક રેલી પતિ ગયાના બાદ ચૂંટણીપંચ દ્વારા નવો પરિપત્ર જાહેર કરીને મતદાનના ૪૮ કલાકનો નવો પરિપત્ર બહાર પાડતા ધારાસભ્‍ય પ્રતાપ દુધાત રોષિત બનીને રાજયની સરકારને ચૂંટણી પંચ વચ્‍ચે મીલીભગત અને સાંઠગાઠનો ખુલ્લો આક્ષેપ કર્યો હતો ને કોંગ્રેસ છેલ્લા દિવસે રેલી ન કરી શકે તે માટે ચૂંટણીપંચ ભાજપના ઇશારે કામ કરતું હોવાનું પણ પ્રેસ કોન્‍ફરન્‍સમાં આક્ષેપ પ્રતાપ દુધાતે કરતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્‍યો છે.

(1:33 pm IST)