Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રાજ્‍યની ૬ કરોડની જનતાનો રાજય સરકારે ભરોસો તોડયો શેની ભરોસાની સરકારી ? વિરજીભાઇ ઠુંમરના તીખા સવાલ

રાજ્‍ય સરકારના ભરોસાની ભાજપ સરકારના સુત્રો સામે લાઠી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારની તડાફડી

રાજકોટ તા.૧: લાઠી વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરે રાજય સરકારના ભરોસાની ભાજપ સરકાર ના સૂત્રો સામે સીધા અને તીખા સવાલ કરી આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્‍યું હતું જે રાજયમાં ૨૭ વરસથી ભાજપનું એકધારું એકચક્રી શાસન અને વહીવટ ચાલી રહ્યો છે પણ સામાન્‍ય જન જીવનમાં કોઈ સુધારો જોવા મળતો નથી તો પછી કેવી રીતે ભરોસાની સરકાર કહી શકાય રાજયની જનતા અનેકવાર ભરોસો મુક્‍યો પણ જનતા ને શુ મળ્‍યું?

સમગ્ર દેશ કોરોનાની ઝપટમાં આવ્‍યો ત્‍યારે રાજયમાં કોવિડ૧૯ની શુ વ્‍યવસ્‍થા રાજય સરકાર દ્વારા કરવામાં આવી હતી કેટલા લોકો સારવારના અભાવે મૃત્‍યુ પામ્‍યાં તે રાજયની જનતા જાણે છે

રાજયમાં અનેકવાર પેપર ફૂટવાના બનાવ બન્‍યા જેના કારણે રાજયના યુવાનો બેકાર બન્‍યા અને સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓથી વિમુખ થયા ખેડૂતોના પાક વીમો હજુ સુધી ખેડૂતોને મળ્‍યો નથી સમયસર પિયતનું પાણી તેમજ વીજળી અને જમીન રિસર્વે બાબતે પણ ખેડૂતોને સતત અન્‍યાય જોવા મળી રહ્યો અનેકવાર ખેડૂતો પણ રોષ વ્‍યક્‍ત કરી રહ્યા છે

વેપારીઓને જીએસટીના કારણે ધંધા રોજગારમાંપણ ખુબજ મુશ્‍કેલીઓ વેઠવી પડી રહી છે અને સૌથી વધુ અસર અને મુશ્‍કેલીઓ રાજયની જનતાને મોંઘવારી નો માર સહન કરવાની ફરજ પડી રહી છે.

ત્‍યારે ભાજપ સરકાર કહે છે ભરોસાની સરકાર જો ભરોસાની સરકાર હોય તો મુખ્‍યમંત્રી સહિત આખું પ્રધાનમંડળ ફેરવવાની શુ ફરજ પડી ? ભાજપની રાજયની જનતા ને ગેરમાર્ગે દોરી ભ્રમિત કરી મત મેળવવાની કરી આ વખતે ફાવશે નહિ અને રાજયની શાણી જનતા કોંગ્રેસને બહુમતી આપી સરકાર બનાવશે તે નિヘતિ હોવાનું અંતમાં ધારાસભ્‍ય અને લાઠી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરે જણાવ્‍યું હતું.

(10:17 am IST)