Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

મોરબી ઝુલતો પુલ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્‍યતિથિએ શાંતિ હવન

મોરબીઃ ઝુલતા પુલની દુર્ઘટનાની આજે પ્રથમ માસિક પુણ્‍યતિથિીએ કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઇ પટેલ દ્વારા દિવગંતોના મોક્ષાર્થે શાંતિ હવન કરવામાં આવ્‍યો હતો. મોરબી બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઇ પટેલે શાંતિ હવન કર્યો હતો અને મૃતાત્‍માઓની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી જે અંગે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઇ પટેલે જણાવ્‍યું હતું કે ઝુલતા પુલ દુર્ઘટનાનેગઇકાલે એક મહિનો પુર્ણ થઇ ગયો છે. પ્રથમ માસીક પુણ્‍યતિથીએ મૃતકોના પરિવારોને આશ્વાસન મળે અને દિવગતોના આત્‍માને શાંતિ મળે એ માટે શાંતિ હવન યજ્ઞનું આયોજન કર્યું હતું. સરકાર આવા હતભાગીઓને કોઇપણ પ્રકારનું આશ્વસન કે ન્‍યાય આપવામાં આવ્‍યો નથી. ત્‍યારે આજે અમે આ શાંતિ હવન થકી તેમને શ્રદ્ધાંજલી આપવાનું કાર્ય હતું.

(1:49 pm IST)