Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જામનગરમાં ૧૦૮ શ્રી કૃષ્‍ણમણીજી મહારાજે મતદાન કર્યું

જામનગરઃ છોટી કાશી ગણાતા જામનગરના શ્રીકૃષ્‍ણ પ્રણામી ધર્મના વડા અને આચાર્ય સભાના વરિષ્ઠ સંત ૧૦૮ઊડજીક કૃષ્‍ણમણિજી મહારાજે સાધુ સંતો સાથે ખંભાળિયા નાકા બહાર ખીજડા મંદિર પાસે આવેલા સુધરાય ના ડેલા ખાતે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ આચાર્યશ્રી ૧૦૮ કૃષ્‍ણમણિજી મહારાજે રાષ્ટ્રહિતને ધ્‍યાનમાં રાખી લોકોએ લોકશાહીના પર્વને અવશ્‍ય ઉજવવું જોઈએ તેવો આગ્રહ કરી સાધુ સંતો સાથે મતદાન મથકે મતદાન કરવા પહોંચ્‍યા ત્‍યારે મતદારોને પણ અવશ્‍ય મતદાન કરવા અપીલ કરી હતી. (અહેવાલઃ મુકુંદ બદિયાણી,તસ્‍વીરઃ કિંજલ કારસરીયા)

(2:26 pm IST)