Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ઉનામાં પરશુરામ જયંતીએ શોભાયાત્રા મહાપ્રસાદ તથા સંતવાણી સહિત કાર્યક્રમો

ઉના, તા.૨: પરશુરામ ભગવાનના જન્‍મ ઉત્‍સવ અવસરે ભગવાન પરશુરામનું પુજન- શોભાયાત્રા, મહાપ્રસાદ તથા લોકડાયરો સંતવાણીના કાર્યક્રમો યોજાશે.

સમસ્‍ત બ્રહ્મસમાજના આરાધ્‍યદેવ, વિષ્‍ણુ ભગવાનનાં છઠ્ઠા અવતાર અને અજરાઅમર ચિરંજીવ ભગવાનશ્રી પરશુરામનો જન્‍મ ઉત્‍સવ તા.૩-૫-૨૦૨૨ને મંગળવારે ઉના શહેર તથા તાલુકાભરના ગામોમાંથી બ્રહ્મ પરિવાર સહ કુટુંબ ઉના તાલુકાના ટાવરચોકમાં બ્રહ્મસમાજની વાડીમાં ઉજવવામાં આવશે.

બપોરે ૩ કલાકે શ્રી પરશુરામ ભગવાનનું શાસ્‍ત્રોકત પુજન, ત્‍યારબાદ કેસરીયા ખેસ અને સાફા પહેરી સમસ્‍ત બ્રહ્મસમાજના ભાઇઓ-બહેનો-બાળો વિશાળ સંખ્‍યામાં શોભાયાત્રા ૪ કલાકે બ્રહ્મસમાજની વાડીએથી જય પરશુરામ હરહર મહાદેવનાં ગગનભેદી નારા સાથે ઉના શહેરમાં પોસ્‍ટઓફીસ ચોક, એમ.જી.રોડ, ખાઇ બઝાર, લાઇબ્રેરી ચોક, લુહાર ચોક, આનંદબજાર, ગની માર્કેટ, બસસ્‍ટેશન વિસ્‍તાર, ત્રિકોણબાગ થઇ ગાંધી કન્‍યા વિદ્યાલયનાં સંકુલમાં પૂર્ણ થશે ત્‍યાં મહાઆરતી, મહાપ્રસાદ, તથા રાતના સંતવાણી-લોકડાયરો યોજાશે. આ ઉત્‍સવને સફળ બનાવવા પરશુરામ યુવા સંસ્‍થાન, શ્રી સમસ્‍ત બ્રહ્મસમાજ, શ્રી સમુહ લગ્ન સમિતી, બ્રહ્મસમાજ કર્મચારી મંડળ અને ઉત્તતપૂરમ સંસ્‍કૃત પાઠશાળાના તમામ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:00 am IST)