Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

બનેવીએ ૨ શખ્‍સો સાથે મળીને સાળાનું અપહરણ કરીને ઢીમ ઢાળી દીધુ

બોટાદના નાના પાળીયાદના રણછોડ ધોરીયાનો મૃતદેહ પીપરાળી ગામમાંથી લાશ મળી : પત્‍નિના મૃત્‍યુની જાણ ન કર્યાનો ખાર રાખીને હત્‍યા કરી'તી

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા. ૨ : ચોટીલા પંથકના પિપરાળીના ડુંગરાળ વિસ્‍તારમાં રવીવારનાં બોટાદ તાલુકાના નાના પાળીયાદના શખ્‍સની હત્‍યા નિપજાવી દાટી દેવાયેલ લાશને બોટાદ જીલ્લા પોલીસે હત્‍યાના આરોપીને પકડી સાથે લાવી દાટેલી લાશ શોધી કઢાતા ચકચાર જગાવી હતી.

ગત તા . ૨૬/ ૪ / ના વહેલી સવારે બનેવી સહિતના અન્‍ય બે શખ્‍સોએ સાથે મળીનેને સાળાને માર મારી થ્રીવ્‍હિલ ટેમ્‍પામાં અપહરણ કરી યુવકની ધારીયાના ધા મારી હત્‍યા કરી લાશને ચોટીલા તાલુકાના પીપરાળી ગામે ડુંગરાળ વિસ્‍તારમા દાટી દેવામા આવ્‍યાની ઘટના બનતા સમગ્ર પંથકમા ચર્ચાનો વિષય બની ગયેલ છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ તાલુકાના નાનાપાળીયાદ ગામે રહેતા રણછોડભાઇ અરજણભાઇ ધોરીયા તા. ૨૬ના રોજ વહેલી સવારે હનુમાનજી મંદિર ખાતે પાણી છાંટવા જતા હતા તે દરમિયાન તેમના બનેવી મુકેશ ઓળકિયાએ અન્‍ય યુવકો અભ્‍ય ઓળકિયા અને અન્‍ય એક અજાણ્‍યા ઇસમ સાથે મળીને રણછોડભાઇ ધોરીયાને માર મારી બળજબરી પૂર્વક થ્રીવ્‍હીલ ટેમ્‍પામા બેસાડી અપહરણ કરી નાશી છુટ્‍યા હતા અને આ અપહરણકારોએ યુવકને ધારીયાના ઘા મારી હત્‍યા કરી કરી હતી અને લાશને ચોટીલા તાલુકાના પીપરાળી ગામની સીમામાં ડુંગરાળ વિસ્‍તારમા દાટી દીધી હતી.

આ બનાવની ફરીયાદ રઘુભાઇ અરજણભાઇ ધોરીયાએ પાળીયાદ પોલીસ સ્‍ટેશનમા કરતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાના પોલીસે અપગ્રહરણ કરનાર આરોપીને ઝડપી આરોપીએ યુવકની હત્‍યા કરી લાશને દાટી દિધી હોવાનુ કબુલતા બોટાદ જિલ્લાની એલ.સી.બી., એસઓજી ટીમ અને ચોટીલા પોલીસ કાફલા સાથે ઘટના સ્‍થળે પહોચી મૃતકની લાશને બહાર કાઢી પી.એમ. માટે ચોટીલા હોસ્‍પિટલ ખાતે મોકલી દેવામા આવી હતી.

અપહરણ કરી હત્‍યા કરવાનુᅠ કારણ બોટાદના નાનાપાળીયાદમાં રહેતા અરજણભાઇ ધોરીયાના દાદાના દિકરાની દીકરીએ તે અપહરણ કરનાર મુકેશ હનુભાઇ ઓળકીયા સાથે એક વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા ત્‍યારબાદ બન્ને પક્ષનુ સમાધાન થતા યુવતી તેના પિતાના ઘરે આંટો મારવા આવી ત્‍યારે ગળાફાંસો ખાઇ આત્‍મ હત્‍યા કરી લીધી હતી. જેથી કોરોના મહામારીને કારણે યુવતિના પતિ કે અન્‍ય કોઇને જાણ કર્યા વિના જ પ્રેમલગ્ન કરનાર યુવતીની અંતિમક્રિયા કરી દેવામા આવી હતી. જે અંગે પ્રેમલગ્ન કરનાર યુવતિના પતિ મુકેશને એવો વહેમ હતો કે રણછોડભાઇના કહેવાથી મને પત્‍નિના મૃત્‍યુની જાણ કરવામા આવી નથી અને જાણ કર્યા વીનાજ અંતિમક્રિયા કરી નાખવામા આવી છે .ᅠ

જે અંગેની દાઝ રાખી મુકેશ હનુભાઇ ઓળકિયાએ અન્‍ય ઇસમો અજય હેમંતભાઇ ઓળકીયા અને એક અજાણ્‍યા ઇસમ સાથે મળી વહેલી સવારે માર મારી અપહરણ કરી ધારીયાના ઘા મારી હત્‍યા કરી દાટી દેવામા આવ્‍યા હતા.

(12:13 pm IST)