Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કાલે પરશુરામ ભગવાન જન્‍મોત્‍સવ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સમુહલગ્નો, પારિવારિક લગ્ન, ઉદ્‌ઘાટન, સગાઇ સહિતના કાર્યક્રમો : શોભાયાત્રા, સમૂહ ભોજન સહિતના કાર્યક્રમ

રાજકોટ,તા. ૨ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે વણજોયા મુહૂર્ત અખાત્રીજના દિવસે અનેક શુભકાર્યો કરવામાં આવશે. બ્રહ્મસમાજ સમાજ દ્વારા પરશુરામ ભગવાનનાં જન્‍મોત્‍સવ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ :

ભગવાન પરશુરામ પ્રાગટય દિન નિમીતે તા.૩ મંગળવાર સાંજ ના ૬.૩૦ કલાકે ભુવનેヘરી પીઠ ખાતે  શહેર તાલુકા સમસ્‍ત બળમ્‍હ સમાજ  દ્વારા પુ.ઘનશ્‍યામજી મહારાજ ની નિશ્રા મા મહા આરતી મહાપુજા નુ આયોજન કરાયુ છે.કાયઁક્રમ મા પુ.જેરામદાસ બાપુ (રામજી મંદિર)

પુ.સિતારામ બાપુ (વડવાળી જગ્‍યા)પુ.ચંદુબાપુ મહંત મામાદેવ મંદિર સહિત સંતો મહંતો ઉપરાંત પુર્વઁ ધારાસભ્‍ય જયરાજસિહ જાડેજા, ગણેશભાઈ, નાગરીક બેંક ચેરમેન અશોકભાઈ પિપળીયા,યાર્ડ ના ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયા, પ્રફુલભાઈ ટોળીયા, ભુપતભાઇ ડાભી, વિહીપ, બજરંગ દળ ના આગેવાનો ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા,પીઆઇ.સાંગાડા સહિત ઉપસ્‍થિત રહેનાર છે.સર્વે ભુદેવોને સહપરીવાર ઉપસ્‍થિત રહેવા સમસ્‍ત બળમ્‍હ સમાજના પ્રમુખ જીતુભાઇ આચાર્ય મહામંત્રી યોગેન્‍દ્રભાઇ જોશીની યાદીમા જણાવાયુ છે. 

હળવદ

(દિપક જાની દ્વારા) હળવદ : સમસ્‍ત બ્રહ્મસમાજ હળવદ દ્વારા અખાત્રીજ ને મંગળવારના દિવસ પરશુરામ જન્‍મ જયંતી નિમિતે ભગવાન પરશુરામની ભવ્‍યાતિભવ્‍ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે.શોભાયાત્રામાં દરેક ભૂદેવોએ મુગટ પહેરીને આવવું તેમજ શોભાયાત્રામાં હાજર રહેલ બ્રહ્મ પરિવારો માટે પ્રસાદની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે.

 

સમસ્‍ત બ્રહ્મસમાજ હળવદ દ્વારા આગામી તા.૩ને મંગળવાર એટલે કે અખાત્રીજના દિવસે સાંજે ૪ કલાકે પરશુરામ મંદિર,સારા રોડ,હળવદ ખાતે પરશુરામ જન્‍મ જયંતી નિમિતે ભગવાન પરશુરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે.પરશુરામ મંદિર થી શરણેશ્વર મહાદેવ મંદિર થી દરબાર નાકે થી લક્ષ્મીનારાયણ ચોક થી બ્રાહ્મણની ભોજન શાળા સુધી શોભાયાત્રા યોજાશે.આયોજક સમસ્‍ત બ્રホસમાજ હળવદ,પરશુરામ મંદિર-હળવદ અને પરશુરામ યુવા ગ્રુપ-હળદવા દ્વારા દરેક ભૂદેવોએ શોભાયાત્રામાં મુગટ પહેરીને આવવા અપીલ કરવામાં આવી છે.શોભાયાત્રામાં હાજર રહેલ બ્રહ્મ પરિવારો માટે પ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

સુત્રાપાડા

(રામસિંહ મોરી દ્વારા)  સુત્રાપાડાઃ  શહેર સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી ૩/૫/૨૦૨૨ નાં રોજ ભગવાન શ્રી પરશુરામ ની જન્‍મ જયંતિ નિમિત્તે સુત્રાપાડા બ્રહ્મ સમાજ દ્વારા ભવ્‍ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. આ તકે સુત્રાપાડા તાલુકાનાં તેમજ જીએચસીએલ નાં તેમજ સ્‍થાનિક તમામ ભૂદેવ પરિવાર ને ભગવાન શ્રી પરશુરામ ની જન્‍મ જયંતિ માં ઉત્‍સાહ ભેર પરિવાર સાથે લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે તેવું સુત્રાપાડા શહેર બ્રહ્મ સમાજ ના પ્રમુખ શ્રી રાજેશ ભાઈ પાઠક ની અખબાર યાદી માં જણાવે છે.

કોડીનાર

(અશોક પાઠક દ્વારા) કોડીનાર : બ્રહ્મ સમાજ દ્વારા આગામી તારીખ ૩ મે ને મંગળવાર અખાત્રીજ ના પાવન દિવસે ભગવાન શ્રી પરશુરામજી ના જન્‍મોત્‍સવની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે આ પ્રસંગે તા.૨ ને સોમવારના રોજ સાંજના ૭ કલાકે બ્રહ્મપુરી ખાતે ભગવાન શ્રી પરશુરામજી ના અન્નકૂટ, દીપમાળા, મહાઆરતી અને  રાત્રે ૯ કલાકે રાસોત્‍સવ નું આયોજન બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્‍યું છે. તેમજ તા.૩ ને અખાત્રીજના દિવસે સવારે ભગવાન ની પૂજા અને સાંજના ૪ કલાકે થી બ્રહ્મપુરી ખાતેથી ભગવાન શ્રીપરશુરામજી ની ભવ્‍ય શોભાયાત્રા કાઢવામાં આવશે જે શહેરના મુખ્‍ય માર્ગો પર ફરીને બ્રહ્મપુરી ખાતે આરતી પૂજા બાદ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્‍યું છે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મ સમાજના તાલુકા અને શહેર બ્રહ્મ સમાજની કારોબારી  ઉપરાંત મહિલા મંડળ અને યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(12:19 pm IST)