Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

મોરબી લગધીરવાસ ચોકમાં સર્વે પિતૃઓના મોક્ષાર્થે આયોજીત ભાગવત કથાનો વિરામ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨:શ્રી સર્વે જ્ઞાતિ પિતૃના ઉધારર્થે મોરબી લગધીરવાસ ચોકમા પદ્યુમનસિહં ખુમાનસિંહ ઝાલા દ્વારા આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના અંતિમ દિવસે લાકોની માનવ મેદની ઉમટી પડી કથા સુદામા ચરિત્ર પાત્ર ભજવી લોકો મંત્ર મુગ્‍ધ થયાં હતા.

શ્રી શક્‍તિ ધામના મહંત શ્રી ની વિશેષ હાજરી તેમજ શ્રી શક્‍તિ માતાના મંદિર પૂજારીની હાજરી હતી આ કથામા મોરબી બ્રહ્મ સમાજના બધી પાંખના પ્રમુખ શ્રી તેમજ હોદેદારો હાજર રહ્યા હતા તેમજ આ પ્રસંગે યજમાનશ્રીનુ સન્‍માન તેમજ વક્‍તા શ્રી પૂજય શાષાીજીનુ સન્‍માન કરિયું હતું તેમજ મોરબીના જાણીતા ટ્રાફિક પોલીસ ઇન્‍સ્‍પેકટર વનરાજશિંહ કથા શ્રવણ કર્યું હતું.

કથાના અંતિમ સમય તમામ ભાવિકોનેને સુંદર ધર્મ બોધ પ્રાપ્ત થયો તમામસ્ત્રોતાની ભક્‍તિ આંખ ભીની થઇ હતી ભક્‍તિમા એકકાર થયા હતા જાણે પિતૃ સ્‍વાર્ગે જતા હોઈ એવી અનુભૂતિ થય આ પ્રસંગે પૂજય શાષાીજીના શબ્‍દ કથા પિતૃ ના મોક્ષઅર્થે નહિ પણ પિતૃના પ્રસન્નતાથી થાય છે શાષાીજીના કથામા છેલ્લા શબ્‍દ અહીં સુધી પોંહચીયા પછી એટલું સમજાય છે કોઈ કાય કરતુ નથી આ તો કૃષ્‍ણ કૃપા થી થાય છે. આ તકે યજમાન પદ્યુમનસિહં ખુમાનસિંહ ઝાલા (પદુભા)એ તમામ વોર્ડ નંબર ૭ ના લતાવાસિયોનો તેમજ તમામ પત્રકાર મિત્રોનો ખુબ ખુબ આભાર માન્‍યો હતો.

(1:21 pm IST)