Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ભાગવત સપ્તાહના પ્રથમ દિવસની આરતી અનાથ બાળકોના હસ્‍તે કરાઇ

જામનગરના  પ્રદર્શન મેદાનમાં  પ્રારંભ થયેલી પૂજ્‍ય રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રારંભે પ્રથમ દિવસ ની આરતી શહેરના અનાથ બાળકોને સાથે રાખીને કરવામાં આવી હતી.  ભાગવત સપ્તાહના યજમાન ધારાસભ્‍ય ધર્મેન્‍દ્રસિંહ જાડેજા(હકુભા) અને તેમના પરિવાર ઉપરાંત જામનગર શહેરના અનાથ બાળકોને સૌ  પ્રથમ મંચ પર બોલાવીને તેઓના હસ્‍તે પ્રથમ દિવસની આરતી કરવામાં આવી હતી, અને ભક્‍તિમય વાતાવરણ બનાવાયું હતું, સાથોસાથ તમામ અનાથ બાળકોને ધારાસભ્‍યશ્રી હકુભા જાડેજા દ્વારા શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીર : કિંજલ કારસરીયા)

(2:10 pm IST)