Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ૧૧૧ કિલો પુષ્પોનો શ્રૃંગાર

વાંકાનેર : બોટાદ જિલ્લાના સાળંગપુરધામમાં આવેલ જગ વિખ્યાત સૌનું આસ્થાનું પ્રતિક એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે તારીખ.૩૧/ ૭/૨૧ ને શનિવારના રોજ 'ષોડશોપચાર પૂજન' પૂજારી સ્વામી દ્વારા દાદા ને દિવ્ય વાધનો શણગાર કરી મંગળા આરતી સવારે ૫:૩૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ હતી તથા 'શણગાર આરતી' સવારે ૭:૦૦ કલાકે પરમ પૂજય સ્વામી સુકદેવપ્રસાદજી સ્વામી દ્વારા કરવામાં આવેલ હતી, સાંજે ૬:૦૦ કલાકે ભવ્યતાથી ભવ્ય (૧૧૧ કિલો ના પુષ્પો ના દાદા ને પુષ્પાઅભિષેક કરી સાંજે ૭:૦૦ કલાકે દાદાની મહા આરતી પરમ પૂજય શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાળાવારા) દ્વારા કરવામાં આવેલ હતી આ પ્રંસગે સ્વામીશ્રી શાસ્ત્રીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી, કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી , સ્વામીશ્રી ડી.કે.સ્વામીજીએ પુષ્પા અભિષેક મહા પૂજા કરેલ હતી આ દિવ્ય દર્શનનો ઓનલાઇન તથા રૂબરૂ હજારો ભકતોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો ,, સાંજે દાદા ના નિજ મંદિર પરિસરમાં 'શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા કી જય'ના નારાથી મંદિર પરિસર ગુંજી ઉઠેલ હતું સહુ હરી ભકતજનોએ દાદાના દિવ્ય દર્શન, મહા આરતી, ભવ્ય પુષ્પાઅભિષેકના દર્શનનો અમૂલ્ય લ્હાવો લીધો હતો.

(11:57 am IST)