Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

બેહ ગામે બ્લડ ડોનેશન કેમ્પ

ખંભાળીયા : તાલુકાના બેહ ગામે રહેતા સ્વ.મોમૈયાભાઇ દેવાણંદભાઇ માયાણીના પરિવાર દ્વારા સમાજમાં સુંદર અને દાખલારૂપ કાર્ય અને પ્રેરણાદાયી કાર્યમાં રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહયા હતા. સ્વ.મોમૈયાભાઇ દેવાણંદભાઇ માયાણીની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે બેહ ગામે આવેલા જુંગીવારા વાછરાદાદાના મંદિરે મંત્રીશ્રીએ દર્શન કરી બ્લડ ડોનેશન કેમ્પમાં સ્વ.મોમૈયાભાઇ માયાણીને શ્રદ્વાંજલી આપી હતી અનેવૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. વાછરાડાડાના મંદિરની બાજુમાં ૩૦૦ જેટલા અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, ડિસ્ટ્રીક બેંકના ચેરમેન પી.એસ.જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઇ નકુમ, ભાજપ મહામંત્રી મયુરભાઇ ગઢવી, ભાજપ આગેવાનો અનિલભાઇ તન્ના, ભરતભાઇ ચાવડા બેહ ગામના સરપંચ, જિલ્લા પંચાયતના સભ્ય એભાભાઇ કરમુર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહતા હતા. જાડેજાએ ભાતેલ ગામે નવું બની રહેલ તળાવની મુલાકાત લીધી હતી અને હાજર અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

(1:12 pm IST)