Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

શ્રી સોમનાથ ટ્રસ્ટ નિર્મિત એ.સી ડોરમેટરી યાત્રી સુવિધા માટે ખુલ્લી મુકાઈ

લોકર રૂમ ,ટોઇલેટ ,બાથરૂમની પણ અલગ વ્યવસ્થા

પ્રભાસ પાટણ :શ્રી ધામ વૃંદાવનના પરમ પૂજ્ય સ્વામી જયકિશનગીરીજી મહારાજના હસ્તે આજરોજ સવારે 11:00 વાગ્યે શ્રી સોમનાથ  ટ્રસ્ટ નિર્મિત એ.સી ડોરમેટરી  યાત્રી સુવિધા માટે ખુલ્લી મુકવામાં આવેલી. આ પ્રસંગે  શ્રી સોમનાથ ટ્રસ્ટના એક્ઝિક્યુટીવ ઓફીસર દિલિપભાઇ ચાવડા સાહેબ તેમજ અધિકારી/ કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. એ.સી ડોરમેટરીમાં 40 બેડની વ્યવસ્થા  છે,જેમાં લોકર રૂમ છે.ટોઇલેટ ,બાથરૂમની પણ અલગ વ્યવસ્થા છે. શ્રી સોમનાથ દર્શનાર્થે  આવેલ યાત્રિકો આનો લાભ લઇ શકશે.અને નજીવા ભાડામાં વાતાનુકુલીત  વાતાવરણમાં રહેવાનો લાભ લઇ શકશે.

(11:31 pm IST)