Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ઉના ચેમ્‍બર અને ગ્રેઇન મરચન્‍ટ એસો. દ્વારા વિવિધ મંદિરોમાં ધ્‍વજા ચઢાવાયી

ઉના, તા.૨: શહેરમાં પરંપરા મુજબ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા વિવિધ મંદિરોમાં ધ્‍વજા તથા દરગાહોએ ચાદર ચડાવવામા આવતી હતી.

ચેમ્‍બર ઓફ કોમર્સ તથા ગ્રેઇન મરચન્‍ટ એસો.ના તમામ વેપારીઓએ બપોર બાદ પોતાના કામ ધંધા બંધ રાખી પોસ્‍ટ ઓફીસ ચોકથી રામ ધુન બોલાવતા વિશાળ સંખ્‍યામાં વેપારીઓએ ઉનાના રામજીમંદિર, સ્‍વામીનારાયણ મંદિર, બાલકૃષ્‍ણ - દામોદરરાયની હવેલી તથા સુર્યમુખી હનુમાનજી મંદિર તથા વિવિધ મંદિરોએ ધજા ચડાવી પ્રાર્થના કરી હતી.

માણેકચોક પાસે આવેલ દરગાહ તથા હજરતશા બાબાની દરગાહે ચાદર ચડાવી દુવાઓ કરી હતી અને લોકો સુખ, શાંતિથી ભાઇચારાથી રહે તેવી પ્રાર્થના કરી અને આ યાત્રા તળાવ કાંઠે મોટા હનુમાન મંદિરે પહોંચી ધજા ચડાવી સમુહમા મહાઆરતી કરી પ્રાર્થના કરી હતી.

(10:24 am IST)