Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

વાંકાનેરમાં જન્‍માષ્‍ટમી તથા ગણેશ ઉત્‍સવના આયોજન અંગે કાલે લોહાણા મહાજન વાડીમાં મીટીંગ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., રઃ સમસ્‍ત  માલધારી સમાજ તથા સમસ્‍ત હિન્‍દુ સમાજ આયોજીત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ તથા ગણેશ ઉત્‍સવ અંગેની મીટીંગનું આયોજન તા.૩ ને બુધવારે સાંજે ૭.૩૦ કલાકે અત્રેની દિવાનપરા ખાતે આવેલ લોહાણા મહાજન વાડી ખાતે રાખવામાં આવેલ છે.

તો ઉપરોકત તારીખ તથા સમય પ્રમાણે દરેક હિન્‍દુ સમાજના શ્રીકૃષ્‍ણ ભકતો  તથા ગણેશ ભકતોને પધારવા માલધારી સમાજ તથા શ્રી ગણેશ ઉત્‍સવ સમીતીના આગેવાનો દ્વારા આમંત્રણ આપતા યાદીમાં જણાવેલ છે.

મીટીંગ પુર્ણ થયા બાદ દરેક ભકતજનો સ્‍વરૂચી ભોજન સાથે લઇશુ. શહેરમાં દરેક વિસ્‍તારમાં સુશોભન કરતા કૃષ્‍ણભકતો તથા દરેક વિસ્‍તારમાં ગણપતી સ્‍થાપના  કરતા પંડાલના આયોજકોને ઉપરોકત સમયે તથા સ્‍થળ પર સમયસર હાજર રહેવા અપીલ કરવામાં આવે છે.

(11:59 am IST)