Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

જસદણના સામાન્ય ખેડૂતો અને માલધારીઓના ઢોરોની તાત્કાલિક મફત સારવાર આપો : હરિ હીરપરા

  (હુસામુદ્દીન કપાસી જસદણ) જસદણ તા. ૨ : સહિત સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાઓ પર ઢોરોમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવી ખેડુતો અને માલધારીઓની રાત દિવસની શાંતિ હરામ કરો દીધી છે ત્યારે જસદણ શહેરના તમામ પશુધનનું નિદાન કરી જરૃરો રસી દવાઓ આપવામાં આવે એવી માંગ યુવા સામાજિક કાર્યકર પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરાએ સરકાર સામે કરી છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઢોરોમાં લમ્પી વાયરસ સામે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. બીજી  બાજુ જસદણ શહેરમાં મોટાં ભાગનાં ખેડુતો અને માલધારોઓના ઢોરોની કોઈ કાળજી તંત્ર દ્વારા લેવામાં આવી નથી.

કોઈ ખેડુત માલધારીઓ પશુ વિભાગમાં પોતાનાં ઢોરની બિમારી અંગે રજુઆત કરે તો તંત્ર તો ગોળ ગોળ જવાબ આપી લાજવાને બદલે ગાજે છે હરિભાઈએ વધુમાં જણાવ્યું હતું કે પશુ પાલન વિભાગની ગુલબાંગો સામે કોઈ ખેડુત  માલધારીઓના ઢોરોની સારવાર વર્ષોથી નિવેદ ધર્યા વગર થતી નથી જો નિવેદ ધરવામાં ન આવે તો ઢોરોની સારવાર કરવામા આવતી નથી આ વાસ્તવિકતા સામે સરકાર પણ પશુ સાથે સંકળાયેલા જવાબદારો સામે ઠોસ કદમ ઉઠાવતી ન હોવાથી કર્મચારોઓને પણ ફાવતું જડી ગયું છે.  હીરપરાએ વધુમાં જણાવ્યું કે હાલ લમ્પી વાયરસથી રાજ્યમાં અનેક ઢોરો મરણ પામેલ છે ત્યારે સરકારનાં પશુપાલન વિભાગે  શહેર માટે દરેક ઢોરોના રોગનું નિદાન થાય અને જો બિમાર હોય તો તેને પુરતી દવાઓ મળવી જોઈએ આ માટે જુદાં જુદાં વિસ્તારોમાં કૅમ્પો યોજી અથવા તો એકલ દોકલ ઢોરોની તાત્કાલિક ધોરણે અસરકારક સારવાર કરવી જોઈએ અને પશુપાલન વિભાગમાં ભાગ બટાઈ ગેરરીતિ કરતાઓની મિલ્કત આવકની તપાસ કરો તેમનાં પર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તો જ ઢોરોમાં આવેલ રોગો નિયંત્રણમાં રહેશે એમ હરી પટેલે જણાવ્યું હતું

(12:20 pm IST)