Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

માળીયા હાટીનામાં કુંવારી બહેનો દ્વારા ફૂલ કાજળી વ્રતની ઉજવણી

 માળીયા હાટીના : પ્રખ્યાત માળશ્વર મહાદેવના મંદિરમાં પાર્વતી માતાજીની સનમુખ આજે નાની નાની કુંવારી બહેનો દ્વારા ફૂલ કાજળી વ્રતની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. શાસ્ત્રી કેતનભાઈ પેરાણી દ્વારા મહાદેવ અને પાર્વતી માતાજીનું શાસ્ત્રોકત વિધિ થી પૂજન અર્ચન કરાવેલ છે. સવારના ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી પૂજન વિધિ ચાલી હતી.  નાની નાની બાળાઓ આ વ્રત કરી ને ધન્યતા અનુભવી હતી. પરિવારના સુખ-શાંતી માટે નાની નાની બાળા ઓ આ ફૂલ વ્રત કરે છે એક ટાણું અને રાતના જાગરણ કરે છે.

(2:27 pm IST)