Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોરબી ભાજપમાં જૂથવાદ : પૂર્વ ધારાસભ્‍ય કાંતિભાઈ અમળતિયા મેદાનમાં આવ્‍યા તો બ્રહ્મસમાજનો પણ ટેકો !

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૨ :  મોરબીના પરશુરામ ધામ ખાતે શ્રાવણ માસ નિમિતે ૨૧ કુંડી હોમાત્‍મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્‍યું હતું જે પ્રસંગે મોરબીના પૂર્વ ધારાસભ્‍ય કાંતિભાઈ અમળતિયા પણ ઉપસ્‍થિત રહ્યા હતા ત્‍યારે પરશુરામ ધામ પ્રમુખે મંત્રી બ્રિજેશભાઈ મેરજા પર પ્રહારો કર્યા હતા અને કાંતિભાઈ અમળતિયા ફરી મોરબીનું નેતળત્‍વ કરે તેમ જણાવ્‍યું હતું

મોરબી પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્‍યાએ ધાર્મિક મહોત્‍સવ નિમિતે કાન્‍તીભાઈ અમળતિયાની ઉપસ્‍થિતિમાં સમાજના લોકોને જણાવ્‍યું હતું કે બ્રિજેશભાઈ મેરજા પક્ષ પલટો કર્યા બાદ સૌપ્રથમ પરશુરામ ધામે તેમનું સન્‍માન કર્યું હતું અને ભુપતભાઈ ૧૫ દિવસ તેમના પ્રચારમાં ગયા હતા જોકે સમાજનું કામ કર્યું નથી જેથી સમાજ તેમને કહે છે એટલું જ નહિ આગળ તેઓએ જણાવ્‍યું હતું કે આજના લઘુરુદ્રનું પુણ્‍ય કાન્‍તીભાઈને અર્પણ કર્યું હતું અને તેઓ મોરબીનું નેતળત્‍વ કરે તેવી શુભકામનાઓ આપી હતી અને તેઓ નેતળત્‍વ કરવા સક્ષમ હોવાનું જણાવ્‍યું હતું

આમ મોરબી ભાજપમાં વિધાનસભા ચુંટણી પૂર્વે પૂર્વ ધારાસભ્‍ય કાન્‍તીભાઈ અમળતિયા સક્રિય બન્‍યા છે અને પક્ષમાં જુથવાદ પણ વકરે તેવું લાગી રહ્યું છે પરશુરામ ધામ ખાતે ધાર્મિક મહોત્‍સવમાં ભાજપ આગેવાન અનિલભાઈ મહેતા પણ ઉપસ્‍થિત રહ્યા હતા જેઓ કાન્‍તીભાઈ અમળતિયાના નજીકના હોવાનું પણ માનવામાં આવે છે તો પરશુરામધામના પ્રમુખે જાહેરમાં પૂર્વ ધારાસભ્‍ય કાન્‍તીભાઈ અમળતિયાનું સમર્થન કર્યું છે ત્‍યારે આગામી દિવસોમાં કાન્‍તીભાઈ અમળતિયાને અન્‍ય સમાજ ટેકો જાહેર કરે છે કે કેમ તે જોવું રસપ્રદ બની રહેશે.

(1:14 pm IST)