Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

લઠ્ઠાકાંડ બાદ અસહાય બનેલ લોકોનાં પરિજનો તરફ સંવેદના વ્યકત કરી રાહતરાશિ અર્પતા પૂ. મોરારિબાપુ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨ : થોડા દિવસો પૂર્વે બોટાદ તેમજ અમદાવાદ જિલ્લાના અમુક ગામોમાં ઝેરી દારૃ કે કેમિકલ પીવાને કારણે ૫૭ જેટલા લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. તે ઉપરાંત અનેક લોકોને અન્ય ઈજાઓ પણ થઈ હતી.ઙ્ગઆ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનો માટે બેવડા આઘાતને સહન કરવાની સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ઘરની મહત્વની વ્યકિતનું મૃત્યુ થયું અને બીજી તરફ તેને કારણે આર્થિક નુકસાન પણ થયું.ઙ્ગઙ્ગ

વ્યસનને કારણે જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા તે ઘટના નિંદનીય છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ બને તે વખોડવાને પાત્ર જ છે પરંતુ પરિવારની કોઈ વ્યકિતની ભૂલને લીધે તેમના પરિવારજનો શો વાંક ?ઙ્ગ આથી મોરારિબાપુએ લઠ્ઠાકાંડની ઘટનામાં માર્યા ગયેલાઓના પરિજનો તરફ સંવેદના વ્યકત કરી છે અનેઙ્ગ પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૃપિયા ૫૦૦૦ની તત્કાલ સહાયતા પહોંચાડી દેવા જણાવ્યું છે.ઙ્ગ બે લાખ પચાસ હજારથી વધુ રકમની સહાય શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા રૃબરૃ જઈ પહોચતી કરવામાં આવશે. પુજય મોરારિબાપુએ પુનઃ એક વખત ફરી આ કરૃણ ઘટનાને કારણે જે પરિવારો નિઃસહાય બન્યા છે તેમનાં પરત્વે વિશેષ સંવેદના વ્યકત કરી છે

(3:14 pm IST)