Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

વડીયાના વકીલોના ટેકામાં રાજકોટ બાર એસો. દ્વારા થયેલ ઠરાવ

બનાવને વખોડી કાઢી ટેકો જાહેર કર્યો

રાજકોટ, તા.૨: રાજકોટ બાર એસોસીએશન દ્વારા આજરોજ આ ઠરાવ કરી સર્વાનુમતે ઠરાવવામાં આવે છે કે વડીયાના પ્રિન્‍સીપાલ સીવીલ જજ શ્રી જોષીએ વડીયા બાર એસોસીએશનના સીનીયર એડવોકેટશ્રી સામે તદન ખોટી રીતે ફોજદારી ઇન્‍કવાયરીનો કેસ દાખલ કરી વોરંટ ઇસ્‍યુ કરેલ અને એડવોકેટો સાથે તેઓ દ્વારા ઉધ્‍ધતાઇભર્યુ વર્તન તથા વાણી વિલાસ કરેલ છે જે બનાવને રાજકોટ બાર એસોસીએશન સખ્‍ય શબ્‍દોમાં વખોડી કાઢે છે, અને વડીયા બાર એસોસીએશનને રાજકોટ બાર એસોસીએશન આ ઠરાવ દ્વારા પોતાનો ટેકો જાહેર કરે છે તેવુ સર્વાનુમતે ઠરાવવામાં આવે છે. તેમ બાર એસો.ના સેક્રેટરી પી.સી.વ્‍યાસની યાદીમાં જણાવાયું છે.

 

(3:42 pm IST)