Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

મોરબીના કુબેરનાથ મંદિરમાં શ્રાવણ માસ નિમિતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન.

મોરબી : પવિત્ર શ્રાવણ માસ નિમિતે મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે
 
મોરબીના ગ્રીન ચોક નજીક આવેલ કુબેરનાથ મંદિર ખાતે તા. ૨૦ ઓગસ્ટથી તા. ૨૭ ઓગસ્ટ દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે જેમાં શાસ્ત્રીજી નિખીલભાઈ જોષી કથાનું રસપાન કરાવશે કથા શ્રવણ દરરોજ બપોરે ૩ થી ૬ કલાક સુધી રહેશે જેનો લાભ લેવા રણજીતભાઈ કાનજીભાઈ ચૌહાણ, વિવેક રણધીરભાઈ ચૌહાણ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે

(11:18 pm IST)