Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

અંજારના સત્તાપર ગામે પ્રેમી પંખીડાએ જીવ દીધો : સજોડે ઝાડ પર લટકી ગયા

એક દિ' અગાઉ ઘેરથી ભાગ્યા બાદ, એક થઈ નહીં શકીએ એવું લાગતાં દુનિયા છોડી

ભુજ,તા.૨ : બદલતા જતા સમય વચ્ચે પણ હજી પ્રેમની વેદી પર પ્રેમી પંખીડાઓના બલિદાન ચડતા રહે છે. કચ્છના અંજારના સત્તાપર ગામે પ્રેમમાં પડેલા યુવક, યુવતીને પણ ઘર અને સમાજ એક નહીં થવા દે એવું લાગતા સજોડે જીવ દઈને આ દુનિયાને અલવિદા કહી દીધી. ૨૫ વર્ષીય કિશન શંકર ઠાકોર અને ૨૦ વર્ષની મિત્તલ ભૂરા શામળિયા ઘર છોડીને ભાગી ગયા હતા. તેમના ભાગી જવાના સમાચાર સાંભળી બન્નેના પરિવારજનોએ તેમની શોધખોળ આરંભી હતી. જોકે, એક બીજાના પ્રેમમાં પડેલા કિશન અને મિત્તલને લગ્નના બંધને બંધાવું હતું. પણ, પ્રેમનો સ્વીકાર પરિવાર, સમાજ નહીં કરે એવું લાગતા નાસી છૂટેલા આ પ્રેમી પંખીડાઓએ નાસીપાસ થઈને અંતે સજોડે ઝાડ પર લટકી ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. સત્તાપરથી આગળ ઝરૂ ગામના રાતા તળાવ પાસે ઝાડ પર લટકેલી બન્નેની લાશ મળી આવી હતી.

(11:18 am IST)