Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ગીર સોમનાથ જિલ્લાના ૧૦ ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂ.૬૨૩.૫૦ લાખ મંજુર

ગીર સોમનાથ જિ. કલેકટરશ્રી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક

પ્રભાસ પાટણ,તા. ૨: ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૧૦ ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂ. ૬૨૩.૫૦ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી.ઙ્ગ

 ઉના તાલુકાના ગુંદાળા, કોઠારી, સુત્રાપાડા તાલુકાના કદવાર, વેરાવળ તાલુકાના ભાલપરા, બીજ, સીડોકર, આંબલીયાળા, ગીરગઢડા તાલુકાના ખીલાવડ અને કોડીનાર તાલુકાના ફાચરીયા અને કદવાર ગામને પાણી પુરૂ પાડવામાં આવશે. તેમજ ૫૫૮૫ ઘરોમાં નળ કનેકશન આપવામાં આવશે.ઙ્ગ

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પ્રજાપતિ, આરોગ્ય વિભાગના ડો.નિમાવત, વાસ્મો યુનિટ મેનેજરશ્રી વી.એન.મેવાડા, પા.પૂ. કાર્યપાલક ઇજનેરશ્રી એન.એચ.રાઠોડ, જિલ્લા કોર્ડીનેટર અલ્કા મકવાણા,ઙ્ગ ટેકનિકલ મેનેજર મુકેશભાઈ બલવા, સોશ્યલ મેનેજર રામભાઇ ખાંભલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(11:51 am IST)