Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

પોરબંદર જિલ્લામાં કોરાનાથી ત્રણના મોતઃ અત્યાર સુધી કુલ મૃત્યુ આંક ૪૦ પહોંચ્યોઃ નવા ૧પ પોઝીટીવ કેસ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.ર : જિલ્લામાં કોરાનાની સારવાર દરમિયાન ત્રણ દર્દીઓના મૃત્યુ ાનીપજયા હતા અત્યાર સુધી જિલ્લામાં કુલ મૃત્યુ આંક ૪૦ પહોંચ્યો છે ઉપરાંત ગઇકાલે કોરાના પોઝીટીવના ૧પ નવા કેસ આવ્યા છે.

કોરાના પોઝીટીવ ૧પ કેસમાં જુના કુંભારવાડાના ૪૬ વર્ષના પુરૂષ કુતિયાણાના રર વર્ષના યુવાન, તથા પપ વર્ષના આધેડ, છાંયાના ૪૯ વર્ષના પુરૂષ, ઝવેરી બંગલા પાસે પ૪ વર્ષના મહિલા, રામારોઝીવાડા પાસે ૩૦ વર્ષના મહિલા, ખાપટ વિસ્તારમાંં ૪૯ વર્ષના પુરૂષ ઉપરાંત બોખીરા, ભાવસિંહજી હોસ્પિટલ રોડ, રાણાવાવ, ખારવાવાડ, પાલખડા, વિસ્તારમાંથી કોરાના પોઝીટીવ કેસ આવતા દર્દીઓને ભાવસિંહજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે દાખલ કરેલ છે.

(12:49 pm IST)