Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કેશોદ નગર પાલિકાના મહિલા સફાઇ કામદારનું કોરોનાથી મોત

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૨: કેશોદઙ્ગ નગરપાલિકા ખાતે કાયમી સફાઇ કામદાર તરીકેની ફરજ બજાવતા શ્રી દિવાળીબેન તુલસીભાઇ બોરેચા ફરજ ઉપર હતા ત્યારે તેમને શરદી ઉધરસ તથા ગળામાં સોજો અને તાવ આવવો અચાનક શરૂ થતા તેમના પુત્ર જયેશભાઈએ શહેરના ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયેલ હતા. ત્યાં ડોકટરે તપાસતા કેસ ગંભીર જણાતા જુનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક દિવાળીબેન બોરેચા ને જુનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ હતા. જયાં ત્રણ દિવસની સારવાર દરમ્યાન દિવાળીબેનનુ મૃત્યુ થયેલ હતુ.

કેશોદ વાલ્મીકી સમાજ ખાતે દિવાળીબેનના મૃત્યુની જાણથતા વાલ્મિકી સમાજમાં ઘેરા શોકસાથે માતમ છવાઈ ગયેલ હતુ.

(12:53 pm IST)