Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત : વધુ 30 પોઝીટીવ કેસ નોંધાયા : 41 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 19 કેસ, ગ્રામ્યમાં 3 કેસ : માણાવદર-મેંદરડામાં બે- બે કેસ , કેશોદ, માળીયા , માંગરોળ અને વંથલીમાં એક એક કેસ નોંધાયો

જૂનાગઢમાં કોરોનાનો કહેર યથાવત છે આજે વધુ 30 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે 41 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢમાં નોંધાયેલ 30 કેસમાં જૂનાગઢ સિટીમાં 19 કેસ, ગ્રામ્યમાં 3 કેસ નોંધાયક છે જયારે જિલ્લાના  માણાવદર-મેંદરડામાં બે- બે કેસ ,અને  કેશોદ, માળીયા , માંગરોળ અને વંથલીમાં એક એક કેસ નોંધાયો છે

(7:49 pm IST)