Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

દ્વારકાના જગતમંદિર પરિસરમાં બનેલી ઘટના

સત્યનારાયણ ભગવાનના મંદિરની મૂર્તિ બદલાઇ જતા પૂજારીનો આક્રોશ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૨: ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં જગતમંદિર પરિસરમાં વર્ષો જૂની સત્યનારાયણ ભગવાનના મંદિરમાં સ્થાપિત ભગવાનની મૂર્તિ રાતોરાત બદલાઇ જતા આક્રોશ ફેલાયો છે.

દ્વારકાના પૂજારી કમલેશભાઇ જયસુખલાલ પંડ્યાએ દ્વારિકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર અને પ્રાંત અધિકારીને લેખિતમાં રજુઆત કરતા જણાવ્યું હતુ કે, સત્યનારાયણ મંદિરમાં આખા વર્ષ દરમ્યાન ૪૦ દિવસનો વારો અમારો હોય છે.

તાજેતરમાં સેવા પૂજા કરતા આ વાત ધ્યાનમાં આવી હતી કે , ભગવાન સત્યનારાયણની મૂર્તિ બદલાઇ ગઇ છે અને વર્ષો જૂની મૂર્તિ કોઇ લઇ ગયું છે અને તેના સ્થાને અન્ય નાની મૂર્તિ બેસાડી દેવામાં આવી છે.

(11:28 am IST)