Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ઓઝત વિયર ડેમના ૧૨ દરવાજા ખોલવામાં આવતા મોડી રાતના ચારેતરફ પાણી ફરી વળ્યું: નદીએ વ્હેણ બદલતા ઘેડ પંથકમાં ભારે તારાજી

કેશોદ તા. ૨ : ઉપરવાસમાં વરસાદના કારણે ફરી ઓઝત નદી બે કાંઠે વહેતા ધેડ પંથક જળબંબાકાળ બન્યો હતો જૂનાગઢ જિલ્લાના બેલા. બાદલપુર ઓઝત સીચાઇ યોજના ૨ મા ઉપરવાસના પાણીની આવક થતાં રાત્રીના સમયે ઓઝત વિયર ડેમના ૧૨ દરવાજા ૪ ફીટ ખોલવામાં આવતા ધેડ પંથકમાં ફરી પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી હતી. જેથી બામણાસા ઘેડ ગામે ઓઝત નદી પર અગાઉ ૧૦૦ મીટર તૂટેલા લાંબા પાળા મારફતે નદીએ પોતાનું વહેણ બદલી ગામ તરફ ફંટાતા ગામની આસપાસની હજારો એકર ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઇ જયારે ખેડૂતોએ જમીનમાંથી ઉપાડેલી મગફળીના પથરા પાણીના વહેણમાં તણાયા હતા.

મોડીરાત્રે તંત્ર દ્વારા ડેમના દરવાજા અચાનક ખોલી નંખાતા વાડી વિસ્તારમાં રહેતા લોકો ઉંધતા હતા ત્યાં જ પાણીએ ચારે તરફથી ઘેરી લેતા ડરનો માહોલ ઉ ભો થયો હતો આમ સરકારી પ્રશાસન દ્વારા ડેમના દરવાજા ખોલવામાં વારંવાર ભુલ કરતું હોય તેમ ફરી વખત ભુલ કરતા ગામલોકો મુશ્કેલીમાં મુકાયા હતા આમ તંત્રએ જયારે પણ ડેમના દરવાજા ખોલવાના હોય ત્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને જાણ કરવી જોઈએ પરંતુ તેમ ન થતાં ઘેડ પંથકના લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

અચાનક પાણીની આવકથી સીમ વિસ્તારમાં ઉપાડેલી મગફળીનું રખોલુ કરવા રોકાયેલા અને પશુ પાલનનાં વ્યવસાય સાથે સંકળાયેલા લોકોખેતરોમાં ફસાયા હતા. અગાઉ થોડા દિવસો પહેલાં પડેલાં ભારે વરસાદની તારાજીના પગલે બામણાસા ઘેડ ગામની ઓઝત નદીના તુટેલા પાળા એ ફરી સર્જી તારાજી જેનાં કારણે ખેડૂતોની ખેતપેદાશો પાયમાલ થઈ હતી ત્યારે મુંગા પશુઓને માટે ચારો બચે એવી સ્થિતિ હતી એ પણ ફરીથી પાણી છોડવાની સાથે તણાઈ ગયેલ છે.

કેશોદ તાલુકાના ઘેડ પંથકના હજારો એકર જમીનમાં પાણી ફરી વળ્યાં જેથી અનેક ખેડુતોની તૈયાર થયેલી મગફળીના પાથરા નજર સામે તણાયા હતા. આજનાં આધુનિક યુગમાં વીજપુરવઠો બંધ રહેવાનો હોય તો વીજ ગ્રાહકોને મોબાઈલ ફોનમાં મેસેજ મળી શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ડેમના દરવાજા ખોલવામાં આવવાનાં હતાં ત્યારે એની જાણ ઘેડ પંથકના ખેડૂતો કે ગ્રામ પંચાયતના સરપંચને કે આગેવાનોને તંત્ર પાણી છોડવાની ચેતવણી ન આપતું હોવાની ઘેડ પંથકના લોકોની ફરીયાદ ઉઠવા પામી છે.

 કેશોદ તાલુકાના ઘેડ પંથકના ખેડૂતોની પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને ધારાસભ્યો સાંસદ દોડી આવ્યા હતા ત્યારે તંત્રનાં અધિકારીઓને સુફીયાણી ભાષામાં આપેલી સુચનાઓ પાણીમાં વહી ગઈ હોય એવું ચર્ચાઈ રહ્યું છે. કેશોદ તાલુકાના ઘેડ પંથકના ખેડૂતો માટે સરકાર દ્વારા તાત્કાલિક સહાય અને મુંગા પશુઓને માટે ચારો મળી રહે એવી વ્યવસ્થા તાત્કાલિક ઉભી કરવા ખેડૂતોમાંથી માંગ ઉઠી છે.

(11:32 am IST)