Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ખેડુતોને કલ્યાણકારી પગલાની માહિતી આપવા ગામડે ગામડે ખાટલા બેઠકો

જિલ્લા ભાજપ દ્વારા આજથી જનજાગરણ અભિયાનઃ સખીયા-મેતા-ઢોલ-બોઘરા

રાજકોટ તા. રઃ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સંબંધિત સુધારાઓના ખેડૂતોના હિતમાં ઐતિહાસિક કાયદાને આવકાર સાથે અભિનંદન આપતા રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડિ. કે. સખીયા, મહામંત્રીઓ ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે, વર્ષો સુધી આપણા ખેડૂત ભાઇ-બહેનો કેટલાય પ્રકારના બંધનોમાં જકડાયેલા હતા. આ વિદ્યાયક બીલથી ખેડૂતોના હિતમાં પસાર થતા વચેટિયા પ્રથા નાબુદ થઇ ખેડૂતોની આવક બે ગણી કરવાના પ્રયાસને બળ મળશે. ખેડૂતો આત્મનિર્ભર બનશે. સમૃદ્ધિ સુનિશ્ચિત થશે.

આજથી સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પાસે પોષણક્ષમ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રાજય સરકારે ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ શરુ કરી દીધેલ છે. તેમજ મંડી વ્યવસ્થા પણ ચાલુ રહેશે. સાથે સાથે ખેડૂતોને વૈકલ્પિક બજારની વ્યવસ્થા મળશે અને કૃષિક્ષેત્રમાં બહુ મોટા મૂડી રોકાણો પણ કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા આ વિધયક ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે.

જીલ્લા ભાજપ દ્વારા તા. ર ઓકટોબરથી ગાંધી જયંતિના દિવસથી ૧૭ ઓકટોબર સમગ્ર જીલ્લાના તાલુકાના ગામે ગામ ખાટલા બેઠકો યોજવામાં આવશે. જયારે ગાંધીજી સત્યના આગ્રહી હતા અને ખેડૂતોને સત્યથી વાકેફ કરવા આ ખાટલા બેઠકો જીલ્લાના તમામ પદાધિકારીઓ, જીલ્લાના બંને સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, મંડલના હોદેદારોની ટીમ, સહકારી આગેવાનો સહીતના અલગ-અલગ વિષયો પર બેઠકો યોજશે. તેમ અંતમાં હિરેનભાઇ જોશીની યાદીમાં જણાવાયું છે.

(11:35 am IST)