Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રાપરના ધારાશાસ્ત્રીની હત્યા અંગે જુનાગઢ બાર એસોસીએશન દ્વારા કલેકટરને આવેદન

જુનાગઢ બાર એશોસીએશન દ્વારા કચ્છ જિલ્લાના રાપર ગામના સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દેવજીભાઇ મહેશ્વરીની ગત તા. રપ ના રોજ કેટલાક અસામાજીક તત્વો દ્વારા જાહેરમાં સરેઆમ ક્રુર અને ઘાતાકી હત્યા કરવામાં આવેલ જેને સખ્ત શબ્દોમાં વખોડી અને બાર એશોસીએશનના પ્રમુખ ભાવેશ ઝીઝુવાડીયા સેક્રેટરી જયદેવ આર.જોષી સહિતના ધારાશાસ્ત્રીઓએ ગુનેગારોની તાત્કાલીક ધરપકડ કરી સખ્ત સજા કરવાની માંગ સાથે કલકેટરને આવેદન પાઠવ્યું હતું. (અહેવાલ વિનુ જોષી તસ્વીર, મુકેશ વાઘેલા)

(11:37 am IST)