Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

વંથલીમાં છુટાછેડાના મનદુઃખમાં જમાઇના હાથે સસરાની હત્યા

સારવારમાં મોત થતા મામલો હત્યામાં પલટાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રઃ વંથલીમાં છુટાછેડાના મનદુઃખમાં જમાઇએ સસરાની હત્યા કરી નાંખતા સનસનાટી મચી ગઇ હતી.

સારવારમાં સસરાનુ઼ મોત થતા મામલો હત્યામાં પલટાતા પોલીસે તપાસ વધુ સઘન બનાવી છ.ે

આ બનાવની વિગતો એટી છે કે, વંજલીના નકીફ  ઉર્ફે તકુડી તોમરી સોઢાના લગ્ન સરીફા યુસુફભાઇ જેઠવા સાથે થયેલ પરંતુ બંને વચ્ચે અણબનાવ બનતા બંનેના છુટાછેડા થયા હતા.

ગત તા.ર૭ ના રોજ રાત્રીના ૮-૩૦ ના અરસામાં નકીબે તેના સાળાને ધમકી આપી હતી. આથી તેણે ઘરે જઇને પરીવારજનોએ વાત કરતા યુસુફભાઇ વગેરે નકીબેને સમજાવવા ગયા હતાં.

પરંતુ નકીબ યુસુફભાઇ સાથે બોલાચાલી કરીને જતો રહેલ થોડીવાર પછી નકીબ સરફરાજના ઘરે પહોંચ્યો હતો અને સસરા યુસુફભાઇ જુનાભાઇ જેઠવા ઉપર લાકડીનાં ગેડા વડે હૂમલો કરતાં તેને ગંભીર ઇજા થઇ હતી.

આ અંગે સરફરાઝનીજની ફરીયાદનાં આધારે તેનો પૂર્વ સાળો નકીબ સોઢા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી વંથલી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

દરમ્યાનમાં યુસુફભાઇને ગંભીર ઇજા થતાં પ્રથમ જુનાગઢ બાદ રાજકોટ ખાતે સારવારમાં ખસેડતા જયાં તેનું મૃત્યુ થતાં મામલો હત્યામાં પલટાયો હતો.

તપાસનીશ પી.એસ.આઇ. એ. પી. ડાડીયાએ આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:17 pm IST)