Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

અમરેલી કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલી

અમરેલીઃ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ અને ભારતના મહિલા પુર્વ વડાપ્રધાન સ્વ.ઇન્દીરાજી ગાંધીની પુણ્યતિથી નિમિતે અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવારના અગ્રણીઓએ બન્ને મહાનુભાવોનેયાદ કરી પુષ્પંજલી અર્પણ કરેલ. સરદાર વલ્લભભાઇ પટેલે ભારતના અસંખ્ય રજવાડાઓને ભારત સંઘમાં ભેળવવા માટે કરેલ કામગીરી દૂનિયામાં અદ્વિતીય છે તેમની સાદાઇ અને નિડરપણાને કારણે આ દેશ આજે પણ અખંડ છે તેવા જ સ્વ.ઇન્દિરાજીના લોખંડી મનોબળને કારણે ૧૯૭૧ માં પાકિસ્તાન સાથે શુધ્ધ કરી અને બાંગ્લાદેશને અલગ દેશ બનાવવામાં તેમનું લોખંડી મનોબળ આજે પણ પ્રેણયાદાઇ  છેઆ બંને મહાનુભાવોને પુષ્પાંજલી અર્પવા અમરેલી જીલ્લા કોંગ્રેસ પરિવારના જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખો  શંભુભાઇ દેસાઇ, અર્જુનભાઇ સોસા. તેમજ ટીકુંભાઇ વરૂ પૂર્વ અધ્યક્ષ બાંધકામ સમિતી જિ.પંઅમરેલી તેમજ કે.કે.વાળા જમાલભાઇ મોગલ, જયુભાઇ ઠુંમર, ફિરોજભાઇ મોગલ, વસંતભાઇ કાબરીયા, તથા અન્ય કોંગ્રસ અગ્રણીઓએ હાજરી આપેલ હતી તેમ અખબાર યાદીમાં કાર્યાલય મંત્રી જમાલભાઇ મોગલે જણાવ્યું હતું.

(1:18 pm IST)