Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

પોરબંદર જેલમાંથી ૧૦ પાકિસ્તાની માછીમારો મુકત

દિપાવલી પર્વ ટાણે જ પાકિસ્તાન સરકારને સોંપશે

પોરબંદર તા. ર : પોરબંદર જેલમા કેદ ૧૦ પાકિસ્તાની માછીમારોને મુકત કરવામાં આવ્યા છે.

દિવાળી આડે હવે બે દિવસની વાર છે ત્યારે પોરબંદર જેલ તંત્ર દ્વારા આ નિર્ણય કરીને પોરબંદરની જેલમાથી ૧૦ માછીમારોને મુકત કયા ર્છે.

આ મુકત થયેલા પાકિસ્તાની માછીમારોને ભારત સરકાર વાઘા બોર્ડર ઉપર પાકિસ્તાન સરકારને સોપશે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની જેલમાં અનેક ભારતીય માછીમારો જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારે આ ભારતીય માછીમારોને મુકત કરવામાં આવે તેવી માછીમાર પરિવારો દ્વારા માંગ કરાઇ છે.

(4:38 pm IST)