Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ગોંડલ શ્રીરામજી મંદિરે સાંજે પૂ. હરિચરણદાસજી મહારાજના સાનિધ્યમાં લક્ષ્મીપૂજન-સત્ય નારાયણ કથા

રાજકોટ તા. ર :.. ગોંડલમાં આવેલ શ્રીરામજી મંદિરે આજે સાંજે પૂ. હરિચરણદાસજી મહારાજના સાનિધ્યમાં આજે ધનતેરસ પર્વની ઉજવણી કરવામાં આવશે. તેમ 'અકિલા' ફેસબુક લાઇવના શ્રોતા રાજેશભાઇ પોપટે જણાવ્યું છે.

આજે સાંજે દિપાવલી તહેવાર અંતર્ગત શ્રીરામજી મંદિરે પૂ. હરિચરણદાસજી મહારાજના સાનિધ્યમાં લક્ષ્મીપૂજનનું આયોજન કરાયુ છે. અને આ  તકે સત્યનારાયણ ભગવાનની કથા યોજાશે.

જેમાં કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ભાવિકો જોડાશે.

(4:39 pm IST)