Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

મોરબી જિલ્લામાં ખનીજ ચોરી રોકવા કલેકટરને રજૂઆત

મોરબીઃ જીલ્લાના હળવદ, માળિયા, ટંકારા અને વાંકાનેર તાલુકામાં ખુલ્લેઆમ ખનીજ ચોરી થતું હોવાનું જણાવીને આમ આદમી પાર્ટીએ ખનીજ ચોરી અટકાવવા જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યુ છે. આવેદનમાં જણાવ્યું છે કે વાંકાનેર તાલુકામાં ડુંગરાળ વિસ્તારના ગૌચર, સરકારી ખરબાઓમાં ખનિજ માફિયાઓ છેલ્લા એકાદ વર્ષથી માટી, મોરમ કાઢી રહ્યા છે. જેથી સરકારી તિજોરીને પણ મસમોટુ નુકશાન થઈ રહ્યુ છે. ખનિજ ચોરી અટકાવવા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપી છે. કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ તે તસ્વીર

 

(10:20 am IST)