Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જયેન્‍દ્રભાઇ કુરાણીના અવસાનથી એક અડીખમ આગેવાન ગુમાવ્‍યા છે તેઓની ખોટ કયારેય નહીં પુરાયઃ ડોલરભાઇ કોટેચા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨: ભાજપના અગ્રણી છોટે બાજપાઇ યાર્ડના વાઇસ ચેરમેન જયેન્‍દ્રભાઇ જેટાભાઇ કુરાણીનું તાજેતરમાં ૭૩ વર્ષની ઉંમરે અવસાન થતા રાજકીય, સામાજીક ક્ષેત્રે મોટી ખોટ પડી છે.

જયેન્‍દ્રભાઇને શ્રધ્‍ધાંજલી અર્પણ કરતા સહકારી આગેવાન ખેતી બેંક અમદાવાદના ચેરમેન ડોલરભાઇ કોટેચાએ જણાવ્‍યું હતું કે તેઓ આર.એસ.એસ. સંઘના પાયાના કાર્યકર તેમજ નરેન્‍દ્રભાઇ મોદી સાથે કામ કરેલ અને માણાવદર તાલુકામાં રાજકીય ગોડ ફાધર તરીકે જાણીતા અને જનહિતમાં અનેક કામગીરી કરી હતી. શ્રી કુરાણીના અવસાનથી સહકારી ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે સમાજે એક અડીખમ આગેવાન ગુમાવ્‍યા છે તેઓની ખોટ કયારેય નહીં બુરાય.

પરમ કૃપાળુ પરમાત્‍મા તેમના આત્‍માને શાંતિ આપે અને તેમના પરિવારજનો પર આવી પડેલ આ દુઃખ સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના સાથે ડોલરભાઇ કોટેચાએ ભાવાંજલી અર્પણ કરેલ હતી.

(10:34 am IST)