Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

કાલે જોડિયામાં પૂ. મોરારીબાપુના સાનિધ્‍યમાં ગીતાજયંતિ મહોત્‍સવ

ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા ભાવિકોને આમંત્રણ

વાંકાનેર, તા. ર : જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ પુ શ્રી વિરાગમુનિ સ્‍થાપિત શ્રી રામ કળષ્‍ણ સાધના ટ્રષ્‍ટ, શ્રી ગીતા વિધાલય - ધર્મક્ષેત્ર ખાતે પુ શ્રી મોરારીબાપુના પાવન સાનિધ્‍યમાં શ્રી ગીતા જ્‍યંતી મહોત્‍સવનો પ્રારંભ થયો છે. સંતો, કથાકારોના સતસંગ આજૅ સવારે અને સાંજે ૪ થી ૭ દરમ્‍યાન યોજાશે ગઈકાલે તારીખ : ૧ / ૧૨ / ૨૨ ને ગુરૂવારના રોજ સાંજે ૪ .૦૦ કલાકે પ, પૂજ્‍ય શ્રી મોરારીબાપુ જોડિયા શ્રી ગીતા વિધાલય ખાતે પધાર્યા છૅ પૂજ્‍ય બાપુનું સ્‍વાગત શ્રી ગીતા વિધાલયના  ઉદયભાઈ શાષાીજી, શ્રી લાભુભાઈ પુરોહિત,  વિનાભાઇ કાનાણી, રમેશભાઈ ચંદારાણાએ કરેલ હતુ ત્‍યારબાદ પુ મોરારીબાપુએ ગીતા વિધાલયમાં આવેલ ૅ નામ મંદિર માં પ્રદક્ષીણા કરીને દર્શન કરેલ તૅમજ શ્રી ગીતા વિધાલયમાં ચાલતા અંખડ શ્રી રામાયણની ચોપાઈના પાઠ અનુષ્ઠાનમાં રામાયણનો પાઠ કરેલ તૅમજ પુ વિરાગમુનિજીના દર્શન કરેલ હતા.

 આવતીકાલે તારીખ ૩ / ૧૨ / ૨૨ ને શનિવારના રોજ શ્રી ગીતા જ્‍યંતીના યુગ પર્વે સવારે ૮ .૩૦ થી ૧૦  પ .પુ .મોરારીબાપુ મંગલ ગીતા સંદેશ આપી કળતાથ કરશે પુ મોરારીબાપુનું ગીતા સંદેશ આસ્‍થા ચેનલમાં લાઈવ પ્રસારણ થશે ગઈકાલે પુ મોરારીબાપુનું જોડિયામાં આગમન થતા ગીતા વિદ્યાલય પરિવારમાં આનંદ છવાયો હતો આ દિવ્‍ય પાવન પુણ્‍યશાળી પર્વ ઉત્‍સવમાં સર્વ ભાવિક ભક્‍તજનોને પધારવા શ્રી ગીતા વિદ્યાલય પરિવાર જોડિયાધામ દ્વારા ભાવભર્યું નિમંત્રણ છૅ.

(1:26 pm IST)