Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

મોરબી પુલ દુર્ઘટના: પ્રથમ માસિક પુણ્યતિથિએ સેવાભાવી અજય લોરિયાએ ગૌશાળામાં 51 હજારનું દાન આપ્યું.

મોરબીના જાણીતા લોક સેવક અજય લોરીયાએ મોરબી યદુનંદન ગૌશાળામાં 51,000નું દાન કર્યું છે.

 આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોંરબીના સેવાકાર્યોમાં હંમેશા તત્પર અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન તથા ‘સેવા એજ સંપતિ’ ફાઉન્ડેશનના ચેરમેન અજય લોરીયા પોતાની સેવા-સુશ્રુષાને કારણે ગુજરાતભરમાં નામના હાંસલ કરી ચુક્યા છે. અને તેમના સેવા કાર્યોની સુવાસથી જાણીતા નેતા-અભિનેતા પણ પ્રભાવિત થયા છે. આવા લોકસેવક  અજયભાઇએ લોરિયાએ મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે મોરબીની યદુનંદન ગૌશાળામાં રૂ.51,000નું દાન કર્યું હતું અને દુર્ઘટનાના મૃત્યુ પામેલા 135  દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

(12:28 am IST)