Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ઝુલતાપુલ દુર્ઘટનાના દીવંગતોના સ્મરણાર્થે મોરબી અપડેટના સહયોગથી 4 ડિસેમ્બરે નેત્રયજ્ઞ કેમ્પ.

જલારામ મંદિર ખાતે મોરબી અપડેટ પરિવારનાં સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી જલારામ મંદિર ખાતે આગામી 4 તારીખે ઝુલતાપુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દીવંગતોના સ્મરણાર્થે મોરબી અપડેટ પરિવારનાં સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. જ્યારે અત્યાર સુધીના ૧૫ કેમ્પમા કુલ ૪૪૫૩ લોકોએ લાભ લીધો તેમજ ૧૯૯૨ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે.

સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દીવંગતોને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર મોરબી અપડેટ પરિવારના સગયોગથી આગામી તા.૪-૧૨-૨૦૨૨ રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાશે.જેમા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે.
આ કેમ્પમાં અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી- ૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા- ૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ- ૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૧૫ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમા કુલ ૪૪૫૩ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૯૯૨ લોકો ના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા

(12:35 am IST)