Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

માળીયા મિંયાણાના બગસરા ગામે સગીરા શિલ્‍પા અખીયાણાનો ફાંસો ખાઇ આપઘાત

મોરબી ક્રિષ્‍ના પાર્ક સોસાયટીમાં પરણિતા રૂકસાનાબેન શેખે ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૩ : મોરબી જિલ્લામાં અપમૃત્‍યુ અને આપઘાતના કિસ્‍સા વધી રહ્યા છે. માળીયા મિંયાણાના બગસરા ગામે એક આશાસ્‍પદ સગીરાએ અગમ્‍ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકાના બગસરા ગામે રહેતી ૧૭ વર્ષીય શિલ્‍પાબેન રામજીભાઇ અખીયાણી નામની સગીરાએ અગમ્‍ય કારણોસર ગળેફાંસો ખાધો હતો. જેને પગલે પરિવારજનો દ્વારા તેને સારવાર અર્થે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.ᅠᅠ

આ અંગેની જાણ માળીયા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્‍થળે પહોંચ્‍યો હતો અને આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં મૂળ બિહારના વતની અને હાલ મોરબીના કન્‍યા છાત્રાલય પાછળ આવેલ ક્રિષ્‍ના પાર્ક ૨ સોસાયટીમાં ભાડે રહેતા રૂકશાના ઉર્ફે માયા નકીરહુશેન અબુતાલિબ શેખ (ઉ.વ.૩૨) વાળી પરિણીતાએ પોતાના મકાનમાં આવેલ રૂમમાં છત પર આવેલ સીલીંગ પંખા સાથે બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે બનાવને પગલે એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્‍પિટલ ખસેડ્‍યો હતો મૃતક પરિણીતા પોતે બીમાર રહેતા હોય અને બેચેન રહેતા હોય જેથી આવું પગલું ભરી લીધાનું ખુલ્‍યું છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:27 am IST)